સુરતઃપાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડના એલઆઈજી આવાસમાં ખખડધજ બિલ્ડિંગનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો જેને લઈને બીજા અને ત્રીજા માળે લોકો ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું દરમિયાન એક રાહદારી દ્વારા ફસાયેલા બે લોકોને બચાવી લીધા હતા જોકે, ત્રીજા માળે ફસાયેલા ત્રણેક જેટલા લોકોએ ઘર છોડવાની મનાઈ ફરમાવતા ફાયર વિભાગ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે