Surprise Me!

સુરેન્દ્રનગરના શહીદ દિલીપસિંહનો પુત્ર સરકારી નોકરી ઝંખે છે, અગાઉ ફીના પૈસા સરકારે પાસ નહોતા કર્યા

2019-07-25 530 Dailymotion

રાજકોટ:26 જુલાઇ એટલે કે કારગીલ દિવસ કારગીલ યુદ્ધમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામના જવાન દિલીપસિંહ ડાયાભાઇ ચૌહાણ શહીદ થયા હતા તેમનો પુત્ર ધર્મેન્દ્રસિંહ હાલ સુરેન્દ્રનગરની એમશાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં બીએનો અભ્યાસ કરી રહ્યો છે તેણે સરકારી નોકરી મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે દિલીપસિંહ શહીદ થયા ત્યારે ધર્મેન્દ્રસિંહ અઢી મહિનાના હતા હાલ ધર્મેન્દ્રસિંહની ઉંમર 20 વર્ષની છે ધર્મેન્દ્રસિંહે અગાઉ કોલેજની ફી માટે સરકારને રજૂઆત કરી હતી પરંતુ સરકારે પાસ કર્યા નહોતા હાલ ધર્મેન્દ્રસિંહ પોતાની માતા મૈયાબેન સાથે સુરેન્દ્રનગરમાં રહે છે