Surprise Me!

નિકોલની ટાંકીની તિરાડો વિશે મહિના પહેલાં મ્યુનિ. અધિકારીઓનું ધ્યાન દોરાયું હતું, છતાં પગલાં ન ભર્યાં

2019-08-19 219 Dailymotion

અમદાવાદઃનિકોલમાં ભોજલધામ રેસિડન્સી પાસે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટાંકીનો સ્લેબ ધરાશયી થતાં સોમવારે આઠેક મજૂરો દટાયા હતા તેમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે માત્ર નિકોલની આ બની રહેલી ટાંકી જ નહીં પરંતુ વિરાટનગર અને લીલાનગરની ટાંકીઓની નબળી કામગીરી પણ સામે આવી રહ્યાની સ્થાનિક કોંગ્રેસી કોર્પોરેટરોએ મ્યુનિના વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી પરંતુ મ્યુનિના અધિકારીઓએ કોઈ પગલાં ન ભરતાં આ સ્થિતિ સર્જાઈ હોવાનું મનાય છે