Surprise Me!

શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળાએ માથું ઊંચક્યું

2019-08-21 563 Dailymotion

સુરતઃવરસાદ બાદ શહેરના માનદરવાજા, સચિન, ઉન સહિતના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે જેના પગલે હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છેઉન વિસ્તારમાં આવેલા સાંઈ નગર, સાયરા નગર સહિતની વસાહતોમાં ડ્રેનેજ કે પાણીની લાઈનો ન હોવાથી અહીં પારાવાર મુશ્કેલી સર્જાય છે વરસાદ પછી અહીં પાણીનો ભરાવો થઈ જતા મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે જેથી લોકોને બીમાર પડવાનો વારો આવે છેમાનદરવાજા ખ્વાઝા નગર ખાતે રોગચાળાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છેખાડી કિનારે ગંદકીના કારણે રોગચાળો વધુ વકરી રહ્યો છે