Surprise Me!

144 સીટ ન મળી તો ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન નહીં- શિવસેના

2019-09-19 3,025 Dailymotion

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે વિધાનસભા સીટના ભાગલા વિશે ખેંચતાણ વધી રહી છે ગુરુવારે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, જો પાર્ટી 144 સીટ નહીં આપે તો ભાજપ સાથે ગઠબંધન ટૂટી શકે છે રાઉતનું આ નિવેદન શેવસેના નેતા અને રાજ્ય સરકારના મંત્રી દિવાકર રાઉતના નિવેદનના સમર્થનમાં આવ્યું છે

દિવાકરે બુધવારે કહ્યું છે કે, જો શિવસેનાને 144 સીટ નહીં મળે તો ગઠબંધન નહીં થાય મીડિયા સાથે વાતચીત દરમિયાન સંજય રાઉતે કહ્યું કે, અમિત શાહ અને મુખ્યમંત્રી સાથે 50-50 ટકા સીટોની વહેંચણીની ફોર્મ્યૂલા પર નિર્ણય લેવામાં આવ્યો છે મંત્રી દિવાકર રાઉતનું નિવેદન ખોટું નથી અમે ચૂંટણી સાથે લડીશું, કેમ નહીં લડીએ?