સુરતઃ 29મી ઓક્ટોબરના રોજ બીઆરટીએસ બસની અડફેટે આવી બ્રેનડેડ જાહેર થયેલા 22 વર્ષીય યુવકના અંગોના દાનથી 6ને નવજીવન આપી માનવતા મહેકાવી છે જ્યારે હૃદયનું દાન મુંબઈ ખાતે 40 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનિય છે કે, 269 કિમીનું અંતર માત્ર 70 મિનિટમાં કાપીને હૃદયને મુંબઈ પહોંચાડવામાં આવ્યું હતું