Surprise Me!

નિત્યાનંદે મીડિયા પર આક્ષેપ કરી,કહ્યું-‘ભારતીય મીડિયા દુનિયામાં સૌથી ખરાબ રીતે ભ્રષ્ટ થયેલું મીડિયા’

2019-11-23 872 Dailymotion

અમદાવાદઃનિત્યાનંદ આશ્રમના ઢોંગી નિત્યાનંદે સોશિયલ મીડિયામાં એક વીડિયો મૂક્યો છે જેમાં તેણે ભારતીય મીડિયા પર ગંભીર આક્ષેપ કર્યો છે નિત્યાનંદ આ વીડિયોમાં બોલી રહ્યો છે કે, ‘ભારતીય મીડિયા દુનિયામાં સૌથી ખરાબ રીતે ભ્રષ્ટ થયેલું મીડિયા છે’ ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે આ ઉપરાંત તે બોલે છે કે, ભારતીય મીડિયા દ્વારા નિત્યાનંદ વિરોધીવાતાવરણ ઊભું કરવામાં આવે છે અને ત્યારપછી પોલીસ પર મીડિયા દ્વાર દબાણ કરી ખોટા કેસ અને એફઆરઆઈ ફાઇલ કરવા પણ દબાણ કરવામાં આવે છે