Surprise Me!

દીવના વણાંકબારાથી 40 નોટિકલ માઇલ દૂર દરિયામાં પવનને કારણે બોટે જળસમાધિ લીધી

2019-12-30 622 Dailymotion

ગીરસોમનાથ: દીવના વણાંકબારાથી 40 નોટિકલ માઇલ દૂર દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટે જળસમાધિ લીધી હતી બોટમાં રહેલા તમામ ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવવામાં આવ્યા હતા પવનની ગતિ વધારે હોવાથી શિવ પરમાત્મા નામની બોટ દરિયામાં ગરક થઇ હતી ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દરિયો માછીમારો માટે ઘાતક સમાન બની રહ્યો છે થોડા દિવસ પહેલા ઓખાના દરિયામાં એક બોટ ડૂબવાથી 7 ખલાસીઓ હજી પણ લાપત્તા છે જ્યારે ગત અઠવાડિયે ઉનાના સૈયદ રાજપરા દરિયામાં ત્રણ બોટે જળસમાધિ લીધી હતી જેમાં ચાર માછીમારોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા આથી માછીમારો ચિંતામાં મુકાયા છે