Surprise Me!

રાજકોટના વીંછિયામાં સેવાના નામે નાટક કરી દર્દી દીઠ 500 રૂપિયા ખંખેર્યા

2020-01-20 794 Dailymotion

જસદણ: રાજકોટ જિલ્લાના વીંછિયાના થોરિયાળી ગામના વતની એવા પ્રૌઢ ચતુરભાઈ રાજપરાએ લોકોના સ્નાયુના દુખાવા કોઇ પણ જાતની દવા વગર મટાડી દેવાનું શરૂ કર્યું હતું અને શરૂઆતમાં તો સેવાના નામે પ્રસિધ્ધિ મેળવી લીધી બાદમાં સેવાના નામે મેવા લૂંટવાનું મન થતાં તેમણે દર્દી દીઠ રૂ 500 લેવાનું શરૂ કરી દેતાં લોકોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે બીજી તરફ ભાસ્કરે આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ લોકોના દર્દ મટાડતા આ આધેડ પાસે કોઇ પણ જાતની ડિગ્રી પણ નથી અને એવી કબુલાત તેમણે જાતે ભાસ્કરને કરી આપી છે