71મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે રાજકોટ શહેર-જિલ્લામાં કરવામાં આવી છે અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સવારે 9 વાગ્યે રેસકોર્સના મેદાનમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું રાજકોટ ખાતે યોજાનારા રાષ્ટ્રીય પર્વના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રથમ વખત રાજ્યપાલને 28 પ્લાટુન દ્વારા સલામી આપવામાં આવી હતી પોરબંદરમાં દરિયામાં સવારે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં સિનિયર સિટીઝનો અને બાળકો તેમજ યુવતીઓએ સમુદ્રમાં ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરી રાષ્ટ્ર ગાન ગાઇ 26મી જાન્યુઆરીની ઉજવણી કરી હતી આ સિવાય સૌરાષ્ટ્રમાં ગામડાથી માંડીને મોટા શહેરોમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી