Surprise Me!

રાજકોટના 17મા રાજવી માંધાતાસિંહજીનું રાજતિલક

2020-01-30 6,577 Dailymotion

રાજકોટ: રાજકોટ છેલ્લા ત્રણ દિવસથી રાજાશાહીમાં આવી ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્રણ દિવસથી રાજકીય પરંપરા મુજબ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને જે પ્રસંગ માટે આ મહોત્સવની ઉજવણી થઇ રહી છે તે તિલકવિધિમાં દંડીસ્વામીએ પ્રથમ રાજતિલક અને બીજુ તિલક મુખ્યમંત્રીએ કર્યું હતું રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજવી પરંપરા પ્રમાણે તિલકવિધિ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવી હતી રાજતિલક વિધિમાં રાષ્ટ્રપ્રેમ પણ જોવા મળ્યો હતો રાજકોટ રાજ્યના ધ્વજ કરતા ત્રિરંગાને ઉંચો રાખવામાં આવ્યો હતો