ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈને ચાલી રહેલી સરકારી ડોક્ટરોની હડતાળનો સુખદ અંત આવે તેવા સંકેત મળી રહ્યાં છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સરકારી તબીબોની હડતાળ સમેટાઈ જવાની તૈયારીમાં છે અને આગામી કલાકોમાં તેનો સુખદ અંત આવી જશે.