આપના દિવસને ભક્તિ મય બનાવતો કલ્યાણકારી કાર્યક્રમ ભક્તિ સંદેશમાં આપનું સ્વાગત છે હું છું પ્રિતી.....ભક્તિ સંદેશમાં આજે આપણે ભજીશું દેવ હનુમાન અને દંડાધીકારી શનિદેવને..આ બન્ને દેવોની આરતી અને ભજન વંદના કરીને બાંધીશું પુણ્યનું ભાથુ...સાથે જ રાજસ્થાનનાં મહેંદીપુરમાં સ્થિત બાલાજી હનુમાન ધામનાં કરીશુ દર્શન અને અંતમાં શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા જણાવશે શાસ્ત્રો અનુસાર વિવાહ સંસ્કારનાં મહિમા અંગે.....તો આવો ત્યારે આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો.
જેના નામ સ્મરણથી આસુરી શક્તિનો નાશ થાય છે એવા પવનપુત્ર હનુમાનજીની આપણે ઉપાસના કરીશુ... આરતી દ્વારા જે ભક્ત હનુમાનજીને ભજે છે તેના પર થાય છે અપાર કૃપા. તો આવો સાથે મળીને લીન થઈએ હનુમાનજીની પવિત્ર આરતીમાં.