અમદાવાદ શહેરના ચર્ચા સ્પદ મર્ડર મિસ્ટરીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે હત્યારાની રાજસ્થાનથી ધરપકડ કરી છે. તેમાં હત્યારા નિલેશ જોશીની રાજસ્થાનથી
ધરપકડ કરાતા પોતાના પુત્રની જ હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. જેમાં દારુ પીવા બાબતે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો.
આરોપીને રાજસ્થાનથી અમદાવાદ લાવવા ટીમ રવાના
ઉલ્લેખનીય છે કે હત્યા ક્યાં કરી અને માથુ તથા હાથ ક્યાં નાખ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આરોપીને રાજસ્થાનથી અમદાવાદ લાવવા ટીમ રવાના થઇ છે. જેમાં પહેલા
મૃતદેહનુ માત્ર ધડ જ મળ્યુ હતુ. તથા બીજા દિવસે માનવ મૃતદેહના બે પગ મળ્યા હતા. તેમાં હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા એક બાદ એક કચરા પેટીમા નાખી નિકાલ કર્યા હતો. જે
હત્યારાને શોધવા વાસણા બાદ એલિસબ્રિજ પોલીસ અને પછી શહેરભરની પોલીસ ફાંફા મારી રહી હતી.
પહેલા મૃતદેહનુ માત્ર ધડ જ મળ્યુ હતુ
ચાર દિવસ પહેલા અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમાં એક યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ તે મૃતદેહનુ માત્ર ધડ જ હતુ. એટલે કે બે
હાથ-પગ અને માથુ મળી આવ્યુ ન હતુ. જે અંગે વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતક અને આરોપીની શોધખોળ કરતી હતી. તેવામાં બે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કલગી ચાર
રસ્તા પાસે સવારે માનવ મૃતદેહના બે પગ મળી આવ્યા હતા. જે અંગે એલિસબ્રિજની સાથે વાસણા પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી.