Surprise Me!

જયનારાયણના વ્યાસના દિલમાં હજુ પણ ભાજપ, વારંવાર ભાજપને યાદ કર્યું

2022-12-03 983 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસે ભાજપ સાથે છેડો ફાડી દીધો હતો. તેઓ થોડાંક દિવસ પહેલાં જ કોંગ્રેસ સાથે જોડાયા. આજે સિદ્ધપુરમાં સભા સંબોધતી વખતે તેમને જીભ લપસી ગઇ હતી.

હાલ ડૉ.જયનારાયણ વ્યાસ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. સિદ્ધપુર કોંગ્રેસ ઉમેદવાર ચંદજી ઠાકોર ની જાહેર સભામાં જીભ લપસી ગઇ હતી. ત્યારે તેમના દિલમાં કયાંક તો હજી ભાજપ છે. સભામાં વ્યાસને વારંવાર ભાજપ યાદ આવતું હતું. સભામાં વ્યાસ કોંગ્રેસને છોડી એવું પણ બોલી ગયા. તેમણે કહ્યું કે અટલ,અડવાણી,મોરલી મનોહર જોશી યા ઉનલોગો કી કોંગ્રેસ નહિ હૈબાદમાં ભાજપા નહિ હૈ કહી પોતાની વાતને સુધારી લીધી હતી. બાદમાં જાણ થતાં ભાજપ છોડી એવું બોલ્યા. તેમણે કહ્યું કે હાલની ભાજપ પહેલાની ભાજપ કરતા અલગ છે. હાલ ભાજપ અને બીજી પાર્ટીઓમાં કોઇ ફર્ક નથી.