Surprise Me!

બિહારના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન: રામચરિતમાનસ નફરત ફેલાવનાર ગ્રંથ

2023-01-12 8 Dailymotion

બિહારના શિક્ષણ મંત્રીના વિવાદાસ્પદ ભાષણનો વીડિયો સામે આવ્યો છે. શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે 'રામચરિતમાનસ'ને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. રાજધાની પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે રામચરિતમાનસને સમાજમાં ભાગલા પાડનાર પુસ્તક ગણાવ્યું હતું.

હવે તેમના આ નિવેદન પર રાજકારણ થઈ રહ્યું છે. નિવેદન આપ્યા બાદ જ્યારે તેમને આ સંબંધમાં પૂછપરછ કરવામાં આવી તો તેમણે રામચરિતમાનસ વિશે પોતાની વાતને યોગ્ય ગણાવી.